નમસ્કાર મિત્રો ગુજરાત સરકાર દ્વારા નાગરિકોને આર્થિક સહાય પુરી પાડવા માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યના નબળા અને આર્થિક રીતે ગરીબ લોકોને સ્વરોજગાર મેળવી શકે અને પોતાનું જીવન સારી રીતે જીવી શકે તે હેતુથી કમિશ્નર કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા માનવ કલ્યાણ યોજના દ્વારા વિવિધ સાધન પર સહાય આપવામાં આવે છે.
માનવ કલ્યાણ યોજના અંતર્ગત કુલ 27 પ્રકારના સાધનની Tool Kit આપવામાં આવે છે, જેમાં બ્યુટી પાર્લર કીટ સહાય યોજના, પ્રેસર કુકર સહાય યોજના, મફત સિલાઈ મશીન યોજના, મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના ,હેર કટીંગ કીટ સહાય યોજના, હેર કટીંગ કીટ સહાય યોજના , રૂ ની વાટ બનાવવાનું મશીન સહાય યોજના, ઘરઘંટી સહાય યોજના તથા પેપર કપ અને ડીશ બનાવવા માટે મશીન યોજના નો સમાવેશ થાય છે.
Ghar Ghanti Sahay Yojana હેઠળ ગુજરાતના જે આર્થિક રીતે પછાત અને જે ગરીબ છે તેને સ્વરોજગાર શરૂ કરવા માટે ઘરઘંટી ખરીદવા માટે રૂપિયા 15000 ની સહાય આપવામાં આવશે. આ યોજનાથી ગુજરાતના ગરીબ લોકોને ઘણો બધો ફાયદો થશે? આજના લેખમાં અમે તમને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ઘરઘંટી સહાય યોજના 2024 વિશે માહિતી આપશું.
શું છે ઘરઘંટી સહાય યોજના 2024?
ગુજરાત રાજ્યમાં ચાલતી માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં રહેનારા આર્થિક રીતે નબળા વર્ગના લોકોને પોતાનો રોજગાર શરૂ કરવા માટે ઘરઘંટી સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે તેના હેઠળ રૂપિયા 15,000 ની આર્થિક સહાય કરવામાં આવેલ છે આ યોજના દ્વારા સરકારે આર્થિક રીતે નબળા વ્યક્તિઓને સહાય મળી રહે અને આ યોજનામાં લોકોને ઘરઘંટી મેળવીને પોતાના વ્યવસાય શરૂ કરી શકે છે અને સારી કમાણી કરી શકે છે.
Read Also
- Free Umbrella Scheme Gujarat ikhedut: ગુજરાતના તમામ લોકો ને મફત છત્રી યોજના 2024 લાભ મળશે
-
પશુપાલન ધરાવતા મિત્રો મેળવો મફત માં ખાણ દાણ મફતમાં ખાણ દાણ સહાય યોજના
Ghar Ghanti Sahay Yojana માં મળતા લાભ
- આ યોજના દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના નાગરિકોને ઘરઘંટી ની ખરીદી માટે કુલ રૂપિયા 15,000 ની આર્થિક સહાય કરવામાં આવે છે.
- સરકારની આ યોજનાનો લાભ બીપીએલ રેશનકાર્ડ યાદીમાં આવતા લોકો ને આપશે.
- આ ઘરઘંટી મેળવી લોકો પોતાનો નવો વ્યવસાય શરૂ કરી શકે છે.
- વ્યક્તિ આત્મનિર્ભર બની શકે છે અને પોતાના જીવનની પ્રાથમિક જરૂરિયાત પુરી કરી શકે છે.
ઘરઘંટી સહાય યોજનાનો હેતુ
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ઘરઘંટી યોજનાનું મુખ્ય ઉદ્દેશ્ય છે કે ગુજરાત રાજ્યમાં રહેતા આર્થિક રીતે ગરીબ વર્ગના લોકોને પોતાનું વ્યવસાય શરૂ કરવા માટે ઘરઘંટી સહાય યોજના 2024 અમલમાં મુકાયેલી છે. આ યોજના દ્વારા ગરીબ લોકોએ પોતાનું નવો વ્યવસાય શરૂ કરી શકે છે અને આર્થિક રીતે તેમનો વિકાસ થાય અને પોતાની જીવન શૈલી સારી બનાવી શકે તેથી કહી શકાય કે સરકાર આ યોજનાનું મુખ્ય હેતુ આર્થિક વિકાસ કરવાનું છે અને ગરીબીને દૂર કરવાનું છે
અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો
- આધારકાર્ડ
- ઘરઘંટી ચલાવવાની તાલીમ લીધેલું પ્રમાણપત્ર
- રેશનકાર્ડ
- જાતી નો દાખલો
- ચૂંટણી કાર્ડ
- બેંક પાસબુક
- આવકનો દાખલો
ઘરઘંટી સહાય યોજના માટે પાત્રતા
- આ યોજનામાં અરજી કરનાર વ્યક્તિ ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ.
- અનુભવનું પ્રમાણપત્ર હોવું જોઈએ.
- અરજી કરવાની ઉંમર 18 વર્ષથી વધારે હોવી જોઈએ.
- અરજી કરનાર પાસે બીપીએલ રેશનકાર્ડ હોવું જરૂરી છે.
- વ્યક્તિ આર્થિક રીતે પછાત વર્ગનો હોવો જોઈએ.
- અરજી કરનાર ની વાર્ષિક આવક રૂપિયા 1,20,000 થી ઓછી હોવી જોઈએ.
ઘરઘંટી સહાય યોજના અરજી પ્રક્રિયા
- સૌપ્રથમ તમારે e-Kutir Portal વેબસાઈટ પર જવાનું રહેશે.
- પછી તમને ન્યુ રજીસ્ટ્રેશન નો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.
- અહીં તમને માંગવામાં આવેલી તમામ માહિતી ભરો અને સબમીટ કરો.
- હવે તમારા મોબાઈલ નંબર આઈડી પાસવર્ડ આપવામાં આવશે તેના દ્વારા લોગીન કરો.
- અહીં તમને માનવ કલ્યાણ યોજના તેવુ લખેલું હશે તેના પર ક્લિક કરો ત્યાર પછી નીચે ઓકે નો ઓપ્શન આવેલું હશે તેના પર ક્લિક કરો.
- હવે અહીં માંગવામાં આવેલી માહિતી ભરો અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
- હવે આ તમામ માહિતી ભરાઈ ગયા પછી છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
- હવે આ એપ્લિકેશન ફોર્મ ની એપ પ્રિન્ટ આઉટ કાઢી સાચવીને રાખો.
ઘર ઘંટી સહાય યોજના રાજ્યના આર્થિક રીતે નબળા વર્ગોને આધારે મજબૂત કરવાની દિશામાં મહત્વપૂર્ણ છે, અને તેના મારફતે નાગરિકોને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.